Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

બારડોલી - નુકશાન


 તાઉતે વાવાઝોડા એ સુરત જિલ્લા ખેતી ને ઓણ નષ્ટ કરી છે. વાત કરી ડાંગર ના પાક ની તો  સુરત જિલ્લા ના મહુવા તાલુકા વ્યાપક અસર થવા પામી છે. મહુવા તાલુકા માં 4 હજાર થી વધુ હેકટર માં વિવિધ પાકો ની રોપની કરવામાં આવી હતી. જોકે વાવાઝોડું અને પુરજોશ માં પડેલ વરસાદ એ મહુવા તાલુકા માં ડાંગર ના પાક માં તારાજી સર્જી છે. ખેડૂતો ની મહિનાઓ ની મેહનત જાણે પાણી માં ફરી વળી હતી. અને પાક ના ઉતાર સમયે નુકસાન વેઠવાનો વારો આવયિ છે. ખેડૂતો નું તૈયાર ડાંગર પાણી માં પલળી ગયું હતું. અને લણની સમય એ ડાંગર ભીંજાઈ જતા ખેડૂતો ને મહેનત માથે પડી છે.


ગત રોજ બપોર બાદ એક ધારા વરસાદ અને પાણી ભરાવાની સીધી અસર ડાંગરના પાક પર જોવા મળી હતી. મહુવા તાલુકા ના કાછલ સહિત નાવિવિધ ગામો માં ખેડૂતો ના ઉભા ડાંગરના પાકને નુકસાન થયું હતું. પાક હાલ સંપૂર્ણ પાણીમાં તરબોળ થતા ખેડૂતોને પડતા પર પાટુ પડ્યા જેવો ઘાટ થયો છે. શેરડી ની ખેતી બાદ આંતર પાક તરીકે ખેડૂતો એ ડાંગર ની રોપણી કરી હતી. જોકે ડાંગર નો યોગ્ય ભાવ અને ઉતાર ની વાત તો દૂર પરંતુ ખર્ચ પણ માથે પડ્યો છે.


વાવાઝોડા એ ખેતી પાકને નુકસાની તરફ લઈ જતા હવે ખેતી વાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર પણ સાબડું બન્યું છે. સરકારી આંકડાની વાત કરીએ તો મહુવા તાલુકામાં શિયાળુ, ઉનાળુ અને બાગાયતી પાકો મળી 3 હજાર હેકટરમાં પાકને નુકસાન થાયનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. ત્યારે સર્વે કામગીરી બાદ ખેડૂતોને વળતર અંગે નિર્ણય લેવામાં આવનાર છે.


ખાસ કરી ને ચોમાસા નિ સીઝન પહેલા ઉનાળુ ડાંગર તૈયાર થઈ જતું હોય છે.  જેને ઝુડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. અમુક ખેતરો માં ખેડૂતો એ ડાંગર કાપી હજુ ખેતરમાં મૂક્યું હતું. અને જેતે મંડળી માં મોકલે એ પહેલાં વાવાઝોડા થી આવેલ  વરસાદ એ વિઘ્ન ઉભું કર્યું છે.  જેથી હવે  ડાંગર ના પાક માં નુકસાની અંગે રાજ્ય સરકાર દ્વારા માત્ર લોભામણી જાહેરાત નહીં પરંતુ વહેલી તકે વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Post a Comment

0 Comments