Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

રામપુરા - રામધુન


 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ વાલ્મિકિ સમાજ વિરૂદ્ધ કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર દેશમાં અને સાથે ગુજરાતમાં વાલ્મિકિ સમાજ દ્વારા તેનો વિરોધ કરાયો હતો. અને મુનમુન દત્તા સામે ફરિયાદ નોંધાવવાની માંગ સાથે ગુજરાતભરમાં વાલ્મિકિ સમાજ દ્વારા આવેદન પત્ર અપાયા હતા. જો કે ફરિયાદ ન નોંધાતા સુરતમાં વાલ્મિકિ સમાજના બે યુવાનો અન્ન જળના ત્યાગ સાથે અનશન પર ઉતર્યા હતાં. તો રવિવારે મુનમુન દત્તા વિરૂદ્ધ અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે સુરતમાં પણ ફરિયાદ નોંધવાની માંગ સાથે રવિવારે સાંજે રામધૂન બોલાવાઈ હતી જેમાં વાલ્મિકિ સમાજના અગ્રણીઓ સહિતનાઓ જોડાયા હતાં.


વાલ્મિકિ સમાજ વિરૂદ્ધ ટિપ્પણી કરનાર બબીતા ઉર્ફે મુનમુન દત્તા સામે સુરતમાં પણ વહેલી તકે પોલીસ ફરિયાદ નોંધાઈ તેવી માંગ કરાઈ રહી છે.

Post a Comment

0 Comments