Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

તક્ષશિલા - શ્રદ્ધાંજલિ


 સુરતમાં વર્ષ 2019માં કરૂણાંતિકા સર્જાઈ હતી. વર્ષ 2019ના 24 મેના રોજ તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અઢી વર્ષથી લઈ 22 વર્ષના બાળકોના જીવ ગયા હતા. આ મામલો સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાયુ હતું. ત્યારે 24 મેના રોજ મૃતકોના પરિવારોએ સાંજે તક્ષશિલા આર્કેડ ખાતે જ્યાં બાળકોના જીવ ગયા હતા ત્યાં જ મીણબત્તી સળગાવી મૃત બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને બે બે વર્ષ થયા હોવા છતા ન્યાય ન મળતા સરકાર અને તંત્ર સામે પસ્તાળ પણ પાડી હતી.


તક્ષશિલા અગ્નિકાંડ ન ભુલાય તેવી ઘટના છે. કારણ કે બાળકો લટકતી હાલતમાં પડતા મોતને ભેટ્યા હતા તેવા દ્રશ્યો શહેરીજનોએ આંખે જોયા છે. ત્યારે આના જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાઈ તેવી અરજ છે.

Post a Comment

0 Comments